રિયાન પરાગ ટ્રોલર્સને હંફાવી કેવી રીતે બન્યો આઇપીએલનો સ્ટાર પર્ફોર્મર

લખનૌ, આઇપીએલની ૧૭મી સિઝનમાં રિયાન પરાગનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. રિયાન પરાગ તેના બેટથી સતત રન બનાવી રહ્યો છે, પરંતુ અહીં સુધીની સફર તેના માટે આસાન રહી નથી. રિયાન પરાગને તેના ડેબ્યુથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી ટ્રોલ અને ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.આઇપીએલની છેલ્લી સિઝન તેના માટે ખૂબ જ ખરાબ રહી હતી, છેલ્લી સિઝન શરૂ થતાં પહેલા તેણે પોતાના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે તે આઇપીએલમાં એક ઓવરમાં ૪ સિક્સર ફટકારશે, પરંતુ તે માત્ર ૫ સિક્સર જ મારી શક્યો હતો. અને સમગ્ર સીઝનમાં તેને સોશિયલ મીડિયા પર ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. પાવર-પેક્ડ ઓલરાઉન્ડરે સમગ્ર આઇપીએલ ૨૦૨૩માં સાત મેચમાં ૧૩.૦૦ની સરેરાશ અને ૧૧૮.૧૮ના સ્ટ્રાઈક રેટથી માત્ર ૭૮ રન બનાવ્યા હતા, પરંતુ આ વખતે તેણે પોતાના દમદાર પ્રદર્શનથી તમામ ટ્રોલ્સને પોતાના ચાહક બનાવી દીધા હતા. દરેક સીઝનથી વિપરીત આ સીઝનમાં લોકો સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે.

રિયાન પરાગે આટલી ટ્રોલિંગ છતાં પોતાનામાં વિશ્ર્વાસ જાળવી રાખ્યો અને ડોમેસ્ટિક ક્રિકેટમાં ઘણા રન બનાવ્યા. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૩ સ્પર્ધામાં તેની પાવર-હિટિંગ ક્ષમતાનું પ્રદર્શન કર્યું અને ૧૦ મેચોમાં સાત અડધી સદી સાથે ૫૧૦ રન સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન-સ્કોર તરીકે સમાપ્ત થયો. જ્યાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૮૨.૨૯ હતો અને તેણે ૮૫.૦૦ની એવરેજથી રન બનાવીને સાતત્ય જાળવી રાખ્યું હતું. રેયાને તાજેતરમાં સમાપ્ત થયેલી રણજી ટ્રોફી સિઝન દરમિયાન ચાર મેચમાં ૭૫.૬૦ની સરેરાશથી બે સદી અને એક અડધી સદી સાથે ૩૭૮ રન બનાવ્યા હતા.

સ્થાનિક ક્રિકેટમાં આવા શાનદાર પ્રદર્શન પછી, જ્યારે તે ૨૪ માર્ચે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે સિઝનની શરૂઆતની મેચમાં રાજસ્થાન માટે બેટિંગ કરવા આવ્યો ત્યારે બધાની નજર રાયન પર હતી અને તેણે નિરાશ ન કર્યો. આ મેચમાં રેયાને ૨૯ બોલમાં ૪૩ રનની ઇનિંગ રમી હતી અને રાજસ્થાનને ૨૦ ઓવરમાં ૧૯૩ રન સુધી પહોંચાડી હતી. બીજી ગેમમાં તે વધુ સારો થયો અને તેણે દિલ્હી કેપિટલ્સ સામે માત્ર ૪૫ બોલમાં ક્વિકફાયર ૮૪ રન ફટકારીને સિઝનની તેની પ્રથમ અડધી સદી નોંધાવી. તેણે આ સિઝનમાં ૪૦૦થી વધુ રન પોતાના નામે કર્યા છે અને તે આ સિઝનમાં આવું કરનાર પ્રથમ અનકેપ્ડ ભારતીય ખેલાડી છે. તેની છેલ્લી મેચમાં પણ તેણે સનરાઇઝર્સ સામે સારી ઇનિંગ રમી હતી, જોકે તે પોતાની ટીમ માટે મેચ જીતી શક્યો નહોતો.

પ્રથમ બે ગેમમાં પોતાની પાવર-હિટિંગ ક્ષમતા દર્શાવ્યા બાદ, ત્રીજી ગેમમાં જ્યારે રાજસ્થાન ૧૨૬ રનના નાનકડા ટાર્ગેટનો પીછો કરતી વખતે મુશ્કેલીમાં દેખાઈ રહી હતી ત્યારે મુંબઈ ઈન્ડિયન્સના બોલરો દ્વારા રાયનની ધીરજની ક્સોટી થઈ હતી. જો કે, રેયાને તે ક્સોટી શાનદાર રીતે પાસ કરી અને વાનખેડે સ્ટેડિયમમાં તેની ટીમને વિજય તરફ દોરી જવા માટે અણનમ અડધી સદી ફટકારી. યુવા ખેલાડીએ વર્તમાન સિઝનમાં ચાર અર્ધસદી ફટકારી છે અને વધુ સ્કોર કરવા માટે તૈયાર છે. જો કે ભારતની T 20વર્લ્ડ કપ ટીમમાં તેની પસંદગી કરવામાં આવી નથી. પરંતુ તેના વિસ્ફોટક પ્રદર્શને તેના ટ્રોલર્સને ચોક્કસપણે શાંત કરી દીધા છે. જો તે આવું જ પ્રદર્શન કરતો રહેશે તો તેને જલ્દી જ ટીમ ઈન્ડિયા માટે રમવાની તક મળશે