મૈનપુરીમાં મતદાન દરમિયાન ભાજપ અને સપા કાર્યકરો વચ્ચે અથડામણ, બે લોકો ઘાયલ

મૈનપુરી, મૈનપુરીના કિશ્ર્ની વિધાનસભા ક્ષેત્રના બૂથ નંબર ૧૭૬ તેજગંજ પર હંગામો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે બીજેપી ઉમેદવાર ઠાકુર જયવીર સિંહના પુત્ર સુમિત પ્રતાપ સિંહ અહીં પહોંચ્યા હતા. આ દરમિયાન હોબાળો શરૂ થયો હતો.

થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થયો. આ દરમિયાન સ્થળ પર નાસભાગ મચી ગઈ હતી. પથ્થરમારામાં અનેક વાહનોને નુક્સાન થયું હતું. પથ્થરમારામાં ભાજપના એજન્ટ સુદેશ કુમાર અને મુખ્ય પ્રતિનિધિ કરણ બહાદુર સિંહ ઘાયલ થયા હતા. આ દરમિયાન ઉપદેશ ખલીફાના પુત્ર પવનસિંહ ચૌહાણ પણ આ પ્રસંગે હાજર હતા.જોકે પોલીસે આવીને ટોળાને વિખેરી દીધુ હતું અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું