
ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતે આજે સોમવારે રાજ્ય સ્તરની માસિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન જિલ્લા અધિક્ષકની કચેરી ખાતે કરાયું હતું. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, રેન્જ આઈજી સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. માર્ચ મહિનામાં ગુજરાત રાજ્ય પોલીસ દ્વારા કરાયેલી કામગીરીની પણ સમીક્ષા કરાઈ હતી.
છેલ્લા બે દિવસમાં સમગ્ર રાજ્યમાંથી 6,500 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને પકડી પુછપરછ કરવામાં આવી હોવાનું ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું. તો અત્યાર સુધી રાજ્યમાં 450 બાંગ્લાદેશીઓની ઓળખ થઈ હોવાની તેમણે સત્તાવાર માહિતી આપી હતી. આ સિવાય રવિવારે ગોંડલના ઘટના અંગે જણાવ્યું હતું કે, 10 લોકોની અટક કરવામાં આવી છે.

અમદાવાદમાં 890, સુરતમાં 132 શંકાસ્પદ બાંગ્લાદેશી ડિટેઈન આ ક્રાઈમ કોન્ફરન્સ બાદ મીડિયા સાથેની વાતચીતમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું ‘છેલ્લા બે દિવસની અંદર સમગ્ર રાજ્યમાંથી 6,500 શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પકડી પુછપરછ કરાઈ છે અને તેમાથી 450ને આઈડેન્ટિફાઈ કરાયા છે. છેલ્લા અમુક દિવસોમાં સમગ્ર રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં અમદાવાદમાંથી 890, સુરતમાંથી 132 શંકાસ્પદ બાંગ્લાદેશ અને ડિટેઈન કરાયા છે. છેલ્લા બે દિવસની અંદર સમગ્ર રાજ્યમાંથી 6,500 શંકાસ્પદ બાંગ્લાદેશ અને ડિટેઈલ કરાયા છે અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જોકે ડિપોર્ટ કરારવામાં લાંબી કાર્યવાહી થશે. અત્યાર સુધી 450 બાંગ્લાદેશોને આઈડેન્ટિફાય કરી ચૂકવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં શોર્ટ ટર્મ વિઝાથી આવેલા સાત પાકિસ્તાનીઓ જે હાલ પાકિસ્તાનમાં જતા રહ્યા છે તેમ તેમણે જણાવ્યું છે.
ચંડોળા તળાવ બાબતે પણ તેમણે કહ્યું કે, આ તમામ બાંગ્લાદેશીઓની પુછપરછ ચાલુ છે, તો વળી ગોંડલના બનાવવામાં મામલે પણ તેમણે જણાવ્યું કે 10 લોકોની અટક કરવામાં આવી છે.

અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ક્રાઈમ રેશિયો અંકુશમાં ક્રાઈમ કોન્ફરન્સની માહિતી આપતા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું હતું કે, દર મહિને આ ક્રાઈમ કોન્ફરન્સ કરવામાં આવે છે, જેમાં ગયા માસ દરમિયાન જે કામગીરી કરવામાં આવી છે, તેની સમીક્ષા કરવામાં આવે છે અને ચર્ચા વિચારણા કરવામાં આવે છે. મહાનગર જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોમાં ક્રાઈમ રેશિયો અંકુશમાં રહ્યો છે, વરિષ્ઠ પોલીસ અધિકારીઓની સાથે ચર્ચા થાય છે. માર્ચ 2025માં સમગ્ર રાજ્યમાંથી નાસતા-ફરતા આરોપીઓની પકડવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. જેમાં 400 જેટલા નાસતા-ફરતા આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે, તેમાંથી 222 એવા આરોપીઓ હતા. જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી નાસતા-ફરતા હતા. તેમને શોધવામાં પોલીસે કામગીરી કરી છે.
રાજ્યમાં 7,157 અસામાજિક તત્વોનું લિસ્ટ આઈડેન્ટિફાઈ કરાયું ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમમાં માર્ચ 2025માં રાજ્યમાં 722 કાર્યક્રમમાં કરાયા છે, જેમાં અંદાજે 25 કરોડ ઉપરાંત પ્રોપર્ટી પરત આપવામાં આવી છે. 13.3 કરોડ જેટલી રકમ પાછી આપવામાં પોલીસને સફળતા મળી છે. વ્યાજખોરો બાબતે તેમણે કહ્યું કે, માર્ચ 2025માં રાજ્યમાં 64 ફરિયાદો દાખલ કરવામાં આવી હતી. જેમાં 100 જેટલા લોકોને અટક કરાયા છે. અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા બાબતે સમગ્ર રાજ્યમાંથી 7,157નું લિસ્ટ આઈડેન્ટિફાઈ કરાયું હતું. તેમાંથી 373 સામે ડિમોલિશનની કામગીરી કરી છે. ઉપરાંત 1046 વીજ જોડાણો પણ કાપવામાં આવ્યા છે. ખાસ આ ક્રાઈમ કોન્ફરન્સમાં અસામાજિક તત્વો સામે જામીન કેન્સલ કરવા પણ સૂચના અપાય છે. આ ઉપરાંત ક્રાઈમ ફોર ગેમ્સ બેંક એકાઉન્ટ ચકાસણી કરવા સૂચના પણ અપાય છે.