પહેલગામ હુમલાનો ગોધરામાં વિરોધ:શહેરના વિવિધ વિસ્તારોમાં પાકિસ્તાનના ધ્વજ નીચે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સ્લોગન

ગોધરા શહેરમાં પહેલગામ આતંકી હુમલાનો વિરોધ જારી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોએ પાકિસ્તાન દેશના રાષ્ટ્રધ્વજ નીચે ‘પાકિસ્તાન મુર્દાબાદ’ના સ્લોગન લખી વિરોધ નોંધાવ્યો છે.

22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ સહેલાણીઓ પર હુમલો કર્યો હતો. આતંકવાદીઓએ લોકોના નામ અને ધર્મ પૂછીને ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વિવિધ રાજ્યોમાંથી આવેલા 28 જેટલા નિર્દોષ સહેલાણીઓએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનાને દેશ અને વિશ્વભરમાં તમામ ધર્મના લોકોએ વખોડી કાઢી છે. આતંકવાદી હુમલાની ઘટનાનો વિરોધ ગોધરામાં હજુ પણ ચાલુ છે. શહેરના જાહેર માર્ગો પર લોકોએ પાકિસ્તાન વિરોધી ચિત્રો દોર્યા છે.